આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી……
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
અમારી ભૂલો ને માફ કરતા રેહજો !!
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું – :(
એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું.. 😦
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું…..
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
પ્રેમ કરતા પણ પ્રેમ છે !!
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..
દુખ ના થયા એવા અનુભવ…….
દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી….
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..
જિંદગી મળવી એ નસીબ ની વાત છે !!
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
તાજેતરની ટિપ્પણીઓ